સ્મૃતિમાં છે.

સામાન્ય

તમારા સ્નેહભીના કંઈ થપાટાઓ સ્મૃતિમાં છે,

કરું હું ગાંડપણ તોયે તમે હસતા સ્મૃતિમાં છે,

હું તો ભંડાર ભૂલોનો છતાંયે સ્નેહથી સહેતા,

કરુ હું ‘શબ્દચાળા’ કાવ્ય કહેતા એ સ્મૃતિમાં છે…

 

બીજાના હાથમાં જીવન નચાવાનું નથી ગમતું,

બની કઠપૂતળી રમવું કદી દિલમાં નથી વસતું,

છતાંયે આપનાં ચરણો મહીં પીગળી જવાયું છે,

પીગળતી જીંદગીને ઘાટ દેતા એ સ્મૃતિમાં છે…

 

કીધા ઉપકાર તે સૌને નગુણો થઈ ભૂલી જાતો,

સર્યો જ્યાં સ્વાર્થ કે તરતજ હું તોડી નાખતો નાતો,

હૃદયના પુષ્પને કીડો થઈને કોરતો’તો હું,

કીડાને કૃષ્ણનો કીધો એ સઘળું મુજ સ્મૃતિમાં છે…

 

અહં બદલી તમે છે અસ્મિતાના દીપ પ્રગટાવ્યા,

દયા કાઢી કરુણાના જગે સાગર છે છલકાવ્યા,

હતો હું એકલો આપે સબંધો ભાવના બાંધ્યા,

હૃદયના ભાવ અમૃતને પીવડાવ્યું એ સ્મૃતિમાં છે…

===ૐ===

Leave a comment