Tag Archives: અગિયારસ

જીવ જગત જગદીશ.

સામાન્ય

(રાગ – ભાઈ મારે કરવો છે સ્વાધ્યાય)

 

જીવ જગત જગદીશનો નાતો જેનાથી સમજાય,

    ભાઈ એ તો અગિયારસ કહેવાય. . . (૨)

સાચી લગનથી હરિ ચરણોમાં સ્નેહ થકી બેસાય,

એનાં નામે એનાં કામે મનડું રમતું થાય. . .                              ભાઈ એ તો. . .

 

જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય ને મન એ અગિયાર ગણાય,

એ તો સઘળાં અર્પણ કરતાં પ્રભુજી ખૂબ હરખાય. . .                  ભાઈ એ તો. . .

 

શ્વાસે શ્વાસે હરિ છે રમતા જીવન નચવી જાય,

એ ઉપકારો યાદ કરી જે એને કાજ ઘસાય. . .                            ભાઈ એ તો. . .

 

શું ખાવાનું શું પીવાનું એ સ્થૂળ વાત જણાય,

શું કરવાનું એ સમજતાં હરિનું દિલ ખુશ થાય. . .                       ભાઈ એ તો. . .

 

કર્મયોગ ને ભક્તિ યોગનો સંગમ જો થઈ જાય,

તો તો સાકારિત ભક્તિનું દર્શન સાચું થાય. . .                          ભાઈ એ તો. . .

 

સાચી વાતો અગિયારસની સમજાવે સ્વાધ્યાય,

‘પાંડુરંગ’ની પાવન વાણી ભેદ બતાવી જાય. . .                        ભાઈ એ તો. . .

            === ૐ ===

ભાદરવા સુદ બારસ, સં. ૨૦૪૦, ગુરુવાર. તા. ૬-૯-૧૯૮૪.