માન સરવર હંસની પાંખો બધે ફેલાઇ ગઈ,
‘શ્વેત નગરી’ જોતજોતામાં અહીં સર્જાઈ ગઈ.
પુરુષ સૂક્ત મહીં કહેલો પુરુષ ત્યાં પ્રગટી રહ્યો,
હજ્જાર મસ્તક ચરણ નયનોની ઝલક દેખાઈ ગઈ.
વેતન વિના તન અર્પીને પૂજા કરે પૂજારીઓ,
શક્યતા કંઈ છે નહીં કહેનારની જીભ બંધ થઈ.
વાયુ વરુણ ને અગ્નિએ પણ ચેનચાળા ખૂબ કર્યા,
‘દાદા’ની યોગેશ્વર પ્રતિ શ્રદ્ધાની ત્યારે જીત થઈ.
વિદ્વાન સંતો શાસકો આશ્ચર્યથી દિગ્મૂઢ બન્યા,
ભક્તિની શક્તિ સૌ સવાલોના જવાબો દઈ ગઈ.
ત્રિવેણીના સંગમ તટે જ્યાં તીર્થરાજ મિલન થયું,
ત્યાં પથ પ્રદર્શક પાંડુરંગી ચેતના પ્રગટી રહી.
વર્ષો પછીના બીજ થઈને વૃક્ષ ત્યાં ઝૂમી રહ્યા,
એંધાણ સતયુગના જણાયાં ને નિરાશા દૂર થઈ.