Tag Archives: ડૂસકું

છંદ – ૨

સામાન્ય

રાવણના અત્યાચારોથી તો આખી ધરતી રડતી’તી,

દેવો સઘળા છે કેદ મહીં ને દાનવ સૃષ્ટિ હસતી’તી,

મર્યાદા પુરુષોત્તમ રામે કરદી દ્રષ્ટિ કીધી’તી,

દૂષણની લંકા સળગાવા મશાલ ત્યારે સળગી’તી.

 

દુર્યોધનની પાપાચારી વૃત્તિ જ્યારે મલકી’તી,

મર્યાદાની રેખા જ્યારે દુઃશાસનથી તો તૂટતી’તી,

અભિમન્યુના મૃત્યુથી માનવતા ડૂસકાં ભરતી’તી,

અર્જુનની વીરતાની આગે મશાલ ત્યારે સળગી’તી.

 

અરવલ્લીની ગિરિ કંદરા શૌર્ય ગીતોને ગાતી તી,

ચેતકની ટપ ટપ ટાંપાએ ધરતી થરથર ધ્રુજતી’તી,

પ્રતાપ સામે ટક્કર લઈ દુશ્મનની હિંમત તૂટતીતી,

સ્વાભિમાનની જ્વાળાઓથી મશાલ ત્યારે સળગીતી.

 

ધર્મ ભૂલાયો કર્મ ભૂલાયું મર્મ ભૂલાયો જીવનનો,

ભાવ ઝરણ દિલથી સૂકાયું સ્નેહ બધેથી છે ખોયો,

ફોગટીયા વૃત્તિએ જ્યારે જગમાં માઝા મુકી છે,

જ્ઞાન ભક્તિને કર્મયોગની મશાલ આજે સળગી છે.

        === ૐ ===